
અંકલેશ્વરના પટેલ નગર ખાતે રહેતા 22 વર્ષીય યુવાને પંખાના હુકમાં ફંદો લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અંકલેશ્વર-રાજપીપળા રોડ પર ગડખોલ ગામની હદમાં પટેલ નગર સોસાયટીના મકાન નંબર બી. 10માં રહેતા ફ્રાન્સિસ ઉક્કડભાઈ વસાવાએ ગત રોજ કોઈ ઘરમાં એકલા હતા. તે સમય દરમિયાન તેણે અગમ્ય કારણોસર નાયલોન દોરીનો ફંદો બનાવી ઘરના પંખાના હુકમાં ફંદો લગાવી આપઘાત કરી લીધો હતો.
આ અંગે પરિવારના સભ્યોને જાણ થતાં તેમણે દોડી આવીને શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડાયો હતો. તેમજ પ્રાથમિક પરિવારના સભ્ય વેરોનિકા ચૌહાણની ફરિયાદ આધારે અગમ્ય કારણોસર આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.