અંકલેશ્વર સામ્રાજ્ય સોસાયટી નજીક ભરૂચના માજી નગર સેવક ઉપર કરાયો હુમલો

0
298

ભરૂચના માજી નગર સેવક અને સામાજિક કાર્યકર્તા મનહર પરમાર ઉપર અંકલેશ્વર સામ્રાજ્ય સોસાયટી નજીક હુમલો કરાયો હતો. હુમલામાં તેમને શરીરે ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા આવ્યા છે. સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવાની કવાયાત હાથ ધરી છે.

અંકલેશ્વરમાં આવેલી સામ્રાજ્ય સોસાયટી નજીક ભરૂચ નગરપાલિકાના પૂર્વ નગર સેવક મનહર પરમાર પર કેટલાક ઇસમોએ હુમલો કરીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. મનહર પરમાર અંકલેશ્વર તરફથી પોતાના ઘર તરફ ભરૂચ આવી રહ્યા હતાં. તે સમયે તેમની કારને આંતરીને ચાર જેટલો ઇસમોએ તેમના પર હથોડી વડે મારમારી હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમને માથામાં અને શરીર ઉપર ઇજાઓ પહોંચી હતી. હુમલાની જાણ થતાં અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ત્યારબાદ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

હુમલા બાદ મનહર પરમારે આપેલા નિવેદનમાં જણાવ્યું કે, હુમલો કરનારમાં અમિત ગોહિલ, વિશાલ ગોહિલ સાથે અન્ય બે લોકોએ તેમના પર હુમલો કરીને તેમની સોનાની ચેન અને રોકડા રૂપિયા 50 હજાર લઈ ગયા છે. આ મામલે અંકલેશ્વર શહેર પોલીસે તેમના નિવેદન ઉપર હુમલાખોરોને શોધવાની કવાયત હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here