
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી અંભેલ પ્રાથમિક શાળાના ઓરડાઓ તકલાદી બની જતાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના જીવ જોખમમાં મુકાયાં છે.
વાગરા તાલુકામાં આવેલ અંભેલ પ્રાથમિક શાળાઓના ઓરડાઓ તકલાદી તેમજ ભંગાર થઈ જવાના લઈને ૧૫ દિવસ થીવાલીઓ બાળકોને શાળામાં મોકલતા ન હોવાના લઈને બાળકોના અભ્યાસ પર પડી રહેલ ગંભીર અસર આજ સુધી શિક્ષણ શાખા ના જવાબદાર અધિકારીઓ શાળાની મુલાકાતે આવેલા નથી.ગામના સરપંચ અનિતાબેન યાદવ તેમજ ગ્રામ જનોના જણાવ્યાં અનુસાર, તેમના ગામની શાળામાં ધો ૧ થી ૮ ના આવેલા છે જેમાં બાળકો ની સંખ્યા ૯૬ જેટલી સંખ્યા હોય અને ૪ શિક્ષકો છે
આ શાળા માં બંધકામ તકલાદી તેમજ જર્જરિત હાલત માં થઈ ગયેલ હોવાથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના માથે મોતનો ખતરો ઉભો થયો છે. શાળા બાબતે અનેક જગ્યા ઉપર વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી શાળાની મુલાકાત લીધી નથી. વધુમાં શાળાના સંચાલકો ગ્રામજનોને પોલીસ ફરિયાદ કરવાની ધમકીઓ આપતાં હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. બીજી તરફ શાળા સંચાલકોના મનસ્વી વર્તનથી કંટાળી તથા શાળામાં જાનહાનિનો ભય ઉભો થતાં વાલીઓએ 15 દિવસથી તેમના બાળકોને શાળામાં મોકલવાનું બંધ કરી દીધું છે.