The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચના આમોદના ચકચારી ધર્માંતરણ પ્રકરણમાં SOG એ વધુ 2 આરોપીની કરી ધરપકડ

ભરૂચના આમોદના ચકચારી ધર્માંતરણ પ્રકરણમાં SOG એ વધુ 2 આરોપીની કરી ધરપકડ

0
ભરૂચના આમોદના ચકચારી ધર્માંતરણ પ્રકરણમાં SOG એ વધુ 2 આરોપીની કરી ધરપકડ

ભરૂચના આમોદ તાલુકાના 150 આદિવાસી પરિવારોના ચકચારી ધર્માંતરણ પ્રકરણમાં SOG એ વધુ બે આરોપીની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

આમોદ પોલીસ સ્ટેશનનાં કાકરીયા ગામના ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃતિમા અત્યાર સુધી 14 કટ્ટરપંથીઓની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જ્યારે કુલ 21 આરોપીઓ સામે લોભ,પ્રલોભન અને વિદેશ સહિતથી અવૈદ્ય ફન્ડિંગ દ્વારા આચરાયેલા આ પ્રકરણમાં ગુનો દાખલ કરાયો છે. જેમાં મૂળ નબીપુર અને હાલ લંડન રહેતા અબ્દુલ્લા ફેફડવાલા સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરાઈ છે.ફન્ડિંગ એકત્ર કરી આપનાર ફેફડવાલાને ધર્માંતરણ માટે ભરૂચ બોલાવી આમોદના કાંકરિયા ગામે બેઠક યોજવનાર એક આરોપી સરફરાજ સહિત વધુ બે ને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે હીરાસતમાં લીધા છે.

આછોદના સુથાર ફળિયામાં રહેતો સરફરાજ ઉર્ફે જાવીદ ખુજી ઉર્ફે જાવીદ મુફતી સલીમ હશન યુસુફ ઈબ્રાહીમ પટેલે લંડનથી ફેફડવાલાને બોલાવી ધર્માંતરણ પ્રકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે નડિયાદના ઈદાયત નગરમાં રહેતા રમીઝરાજા ઉર્ફે ઓવેશ અબ્દુલગની અબ્દુલરહીમ ખાનજી દ્વારા પણ પ્રલોભન આપવામાં ભાગ ભજવાયો હતો.બન્નેવ આરોપીઓ દ્રારા મુસ્લીમ ધર્મ પરિવર્તન કરેલ લોકો માટે હાથ લારીઓ તથા અનાજ , કપડા , દવા તથા કાંકરીયા ગામના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પૈસાની લાલચ અપાઈ હતી. એટલું જ નહીં નોકરીનું પ્રલોભન, હેરાનગતિમાંથી છુટકારો અપાવી તેમજ ધાર્મિક શિક્ષણ આપી ધર્માંત્તરણ કરાવતા હતા.પોલીસે આ બે આરોપીઓની વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. જેમાં અન્ય આરોપીના નામો પણ ખુલી શકે છે. આ સાથે ધર્માંતરણના ગુનામાં ધરપકડનો આંક 16 ઉપર પોહચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!