The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે અમિતસિંહ વાસદિયાની વરણી કરાઇ

ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે અમિતસિંહ વાસદિયાની વરણી કરાઇ

0
ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે અમિતસિંહ વાસદિયાની વરણી કરાઇ

ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે હાઇસ્કુલના આચાર્ય શુકલતીર્થ નર્મદા અમિતસિંહ જગતસિંહ વાસદિયાની વરણી કરવામાં આવી હતી.હાલમાં જૂન ૨૦૨૨થી ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે નીયુક્તી કરવામાં આવી છે.

અમિતસિંહ જગતસિંહ વાસદિયાએ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ જિલ્લાના નિવૃત્ત આચાર્યોના વિદાય/સન્માન સમારંભ તા. ૧૮-૬-૨૦૨૨ના રોજ ભરૂચના ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં જિલ્લાની વિવિધ શાળાઓના આચાર્યો જોડાયા હતા. ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના નવનિયુક્ત પ્રમુખ અમિતસિંહ વાસદીયાને શુભ આશિષ આપી ભારતીય જનતા પાર્ટીના યશસ્વી જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા તથા ભરૂચ જિલ્લા શિક્ષણ સેલના સભ્યો દ્વારા ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!