
ભગવાન સ્વામિનારાયણની કલ્યાણ પેઢીના વર્તમાન વારસદાર ગુરૂદેવ પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજીના પાવન સાંનિધ્યમાં જંબુસર તાલુકાના કલીયારી ગામે “ આત્મીય સભા ” યોજાઇ હતી.
આ અવસરે પૂ.પ્રેમસ્વરૂપસ્વામીજીએ ભકતોને આર્શિવચન પાઠવતા કહયું કે આપણા માવતર એવા પૂ. હરિપ્રસાદ સ્વામીજીએ સંપ, સુહદભાવ અને એકતાના મિશનને જીવનમાં ચરિતાર્થ કરી સ્વામીજીએ બતાવેલા માર્ગે આગળ વધવા ભકતોને અનુરોધ કર્યો હતો. તેમણે સ્વામી સાથેની સેવાના અનેક દ્રષ્ટાંતો આપ્યા હતા. ભગવાન સાથે અખંડ રીતે જોડાઇ રહેવા માટે પૂ. પ્રેમસ્વરૂપસ્વામીએ ભકતોને કહયું હતું કે સ્વાધ્યાય ભજન રોજે રોજે કરીને આપણે પ્રભુ સાથેનો સંબંધ કેમ દ્રઢ થાય, તેમજ સ્વલક્ષી વિચાર કરવા ખાસ અનુરોધ કર્યો હતો.તેમણે સાંપ્રત સમયમાં નકારાત્મક વિચાર છોડી પોઝીટીવ વિચાર કરવા ભકતોને ખાસ શીખ આપી હતી.
પ્રાદેશિક સંત પૂ.શ્રીજીવલ્લભસ્વામીએ પ્રાસંગિક ઉદબોધનમાં પૂ.હરિપ્રસાદ સ્વામીજી જીવનના પ્રસંગો વાગોળી અક્ષર પ્રદેશ એ સેવાનો વિભાગ છે તેમણે સમજણપૂર્વકની સેવા કરવા અંગે પ્રસંગોચિત સમજાવ્યું હતું. બોરડીનો પ્રસંગ જણાવી સૌ ભકતોને પૂ.પ્રેમસ્વરૂપસ્વામીને સ્પર્શથી સુખી થવા જણાવ્યું હતું. પ્રેમસ્વરૂપસ્વામી તરફથી જે કોઇ આજ્ઞા આવે તે મન-બુધ્ધિને બાજુ પર મુકી સ્વીકારીશું તેવી પ્રાર્થના સૌને કરી હતી. પૂ.આનંદસ્વરૂપ સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.આ શુભ અવસરે કલકના પૂ.દિનુદાદા, પૂર્વ મંત્રી છત્રસિંહજી મોરી, માજી ધારાસભ્ય કિરણભાઇ મકવાણા સહિત અનેક આગેવાનો- ભકતજનોએ પ.પૂ.પ્રેમસ્વરૂપસ્વામીજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે સાધુ માધવસ્વરૂપ સ્વામી, અગ્રણીઓ કિતીભાઇ પટેલ, પ્રણવ પટેલ, ચિરાગ પટેલ, હિરલભાઇ ગાંધી, રણછોડભાઇ, રમેશભાઇ, કે.ડી.પટેલ, રાજુભાઇ સહિત અક્ષર પ્રદેશ સૌ મુકતોએ હોલાઉપાડ કરી આત્મિયતાના દર્શન કરાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન મુનાભાઇ (કાવા) ધ્વારા કરવામાં આવ્યું હતું.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર