રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મામલતદારોની મોટી સંખ્યામાં બદલી કરવામાં આવી છે. રાજ્યમાં ક્લાસ-2ના 110 જેટલા મામલતદારોની અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ સાથે જ 40 જેટલા ક્લાસ-3 ડેપ્યુટી મામલતદારોને બઢતી સાથે ટ્રાન્સફર આપવામાં આવી છે.