વિશ્વ હિંદુ પરિષદ દ્વારા યોજાયેલ પરિષદ શિક્ષા વર્ગનો આજે અંતિમ દિવસ

0
113

ભરૂચના બોરભાઠા ખાતે તપોવન આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ૧૦ દિવસીય પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું આજે તેનો અંતિમ દિવસ હતો. જેમાં વીહીપના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વિહિપ દ્વારા તપોવન આશ્રમ ખાતે તા. ૨ જુનથી ૧૨ જુન સુધી  પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિક્ષા વર્ગમાં સમગ્ર રાજ્યમાંથી ૧૪૦ જેટલા સભ્યોએ લાભ લીધો હતો અને ૨૦ જેટલા શિક્ષકોએ વર્ગનું સંચાલન કર્યું હતું. આજરોજ અંતિમ દિવસે વીહીપના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે વિહિપ એ પોતાના એજન્ડા સાથે કામ કરી રહ્યું છે. અને દેશના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી તેમાં કાયદાકીય રીતે કેવી રીતે લડત આપી શકાય તે માટે કાર્ય કરી રહ્યું છે.

દેશના હાલના સળગતા પ્રશ્ન નુપુર શર્મા મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે જુમ્માની નમાઝ બાદ દેશમાં જે સ્થિતિનું નિર્માણ થયું અને જે રીતે નુકસાન પહોચાડવામાં આવ્યું તે શાખી લેવાય તેમ નથી. નુપુર શર્મા ની સામે ઢગલે બંધ કેસો થયા છે તો શું તેઓને દેશની ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ નથી? કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ. તેઓએ ગુજરાત સરકાર સામે તીખા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે હિન્દુ એ ક્યારેય વિકાસનો વિરોધી નથી પરંતુ વિકાસના નામે મંદિરો હટાવવાનું કામ ગુજરાત સરકાર કરી રહી છે તે યોગ્ય નથી.

હાલમાં જ સુરતમાં મહાકાલી મંદિરને હટાવવાના મુદ્દે ભારે વિવાદ છે ત્યારે ગુજરાત સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે વિકાસના કામોમાં વચ્ચે જો કોઈ મંદિર આવતું હોય તો સમાજ સાથે વાટા ઘાટો કરવી જોઈએ અને તેનું અન્ય યોગ્ય સ્થળે સ્થળાંતર કરવું જોઈએ પરંતુ સુધી મંદિર તોડવાની વાત એ ક્ષમ્ય નથી. ગુજરાત સરકાર મંદિર અને મજાર બંનેને અલગ ત્રાજવે તોલે છે. માર્ગમાં મજારો પણ આવેલી છે ત્યારે સરકારે તેનો પણ હિસાબ આપવો પડશે કે તેઓએ કેટલી મજાર હટાવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here