The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદન

વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદન

0
વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદન

થોડા દિવસ પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેના સમર્થનમાં ઠેર-ઠેર આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા પણ યુવરાજસિંહ જાડેજાની ધરપકડ અને તેઓ સામેના ખોટા કેસ રદ્દ મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા રાજપૂત સમાજના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર રાજ્યમાં પરીક્ષા પહેલા પેપર લીકના મામલાઓને ઉજાગર કરી સરકારી ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિ સામે અવાજ ઉઠાવનાર યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગાંધીનગર પોલીસે 307 અને 332 જેવી કલમો હેઠળ તેઓની અટકાયત કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે તેઓ સામે કરવામાં આવેલા ખોટા કેસો રદ્દ કરી તેઓને ધરપકડમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!