The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News આમોદ નગરમાં ઉભરાતી ગટરોથી જનતા ત્રાહિમામ

આમોદ નગરમાં ઉભરાતી ગટરોથી જનતા ત્રાહિમામ

0
આમોદ નગરમાં ઉભરાતી ગટરોથી જનતા ત્રાહિમામ

આમોદ નગરમાં ચારે તરફ ગટરો ઉભરાઈ રહી છે જેથી લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે.ગટરો ઉભરાતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે.જેને કારણે નગરજનો ઉપર મચ્છરજન્ય બીમારી આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે પરંતુ આમોદ પાલિકાના સત્તાધીશો લોકોની પ્રાથમિક જરૂરિયાત હલ કરવાને બદલે રાજકીય સોગઠાબાજીમાં વ્યસ્ત હોઈ નગરજનો સત્તાધીશોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.હાલમાં આમોદ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે થયેલી અવિશ્વાસની દરખાસ્ત બાબતે પાલિકાના સત્તાધીશો રાજકીય સોગઠાબાજીમાં વ્યસ્ત બન્યાં છે.પરંતુ નગરજનોની પ્રાથમિક જરૂરિયાતના કામો ના કરતા નગરજનો રોષે ભરાયાં છે.

આમોદ નગરમાં પશુદવાખાના નગરી પાસેના વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગટરનું ગંદુ દુર્ગંધવાળું પાણી જાહેર રોડ ઉપર ફરી વળ્યું છે.તેમજ ગટરનું પાણી એટલી હદે ઉભરી રહ્યું છે કે લોકોના મકાનોમાં પણ દુર્ગંધવાળું ગંદુ પાણી ઘુસી ગયું છે.સ્થાનિક રહીશોએ વારંવાર પાલિકાને રજુઆત કરવા છતાં પણ તેનો કોઈ નિવેડો આવ્યો નથી.પશુ દવાખાના પાસે ખાનગી શાળા પણ આવેલી છે જયાં શાળાના નાના બાળકો આવન જાવન કરે છે ત્યારે શાળાના બાળકોના સ્વાસ્થય સામે પણ સવાલો ઉભા થાય છે.

આ ઉપરાંત આમોદના વોર્ડ.નં ૩ માં ભીમપુરા રોડ નગરી પાસે પણ ગટરો ઉભરાતા સ્થાનિક રહીશો તેમજ સ્થાનિક નગર સેવક રમેશભાઈ વાઘેલાએ પણ અનેક વખત રજુઆત કરવા છતાં ગટર સાફ કરવામાં આવતી નથી તેમજ અશોક વાઘેલાના ઘર પાછળ મીઠા પાણીની લાઇન પણ ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈ છે.જે બાબતે અશોક વાઘેલાએ અનેક વખત રજુઆત કરવા છતાં પાલિકા સત્તાધીશો તરફથી હજુ કોઈ કામગીરી કરવામાં આવી નથી.આમોદના પુરસારોડ નગરી વિસ્તારમાં આંગણવાડી પાસે તેમજ બસ ડેપો નજીક લાલબાપુની દરગાહ પાસે તેમજ પેટ્રોલ પંપ પાસે માછી સમાજના રહેણાંક વિસ્તારમાં દુર્ગંધ મારતી ગટર ઘણાં સમયથી ઉભરાઈ રહી છે પરંતુ હજુ સુધી કોઈ ઉભરાતી ગટરોનું નિરાકરણ આવ્યું નથી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન, આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!