“દિવ્ય કાશી, ભવ્ય કાશી” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં ભરૂચ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ભરૂચ શક્તિનાથ મહાદેવ મંદિરે જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા શિવજીને જળાભિષેક કરી પૂજન કરાયું હતું.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલભાઈ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ, ફાલ્ગુનિબેન પટેલ, મંત્રી નિશાંતભાઈ મોદી, જીજ્ઞેશભાઈ મિસ્ત્રી, રાજુભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિતભાઇ ચાવડા, શહેર પ્રમુખ પ્રકાશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરોએ હાજર રહ્યા હતા.