The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ જિલ્લામાં ૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે સરપંચનો સંગ્રામ

ભરૂચ જિલ્લામાં ૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે સરપંચનો સંગ્રામ

0

•૪૮૩ ગ્રામ પંચાયતોની સામાન્ય તથા ખાલી પડેલ ૨૦ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી ૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે

રાજય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તા.૦૧/૦૪/૨૦૨૦ થી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં મુદ્દત પૂર્ણ થતી ભરૂચ જિલ્લાની કુલ-૪૮૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા પ્રસંગોપાત ખાલી પડેલ વોર્ડ/સરપંચ બેઠકોની ૨૦ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી તા.૧૯ ડિસેમ્બર-૨૦૨૧ના રોજ યોજાશે.
ભરૂચ જિલ્લામાં કયા તાલુકામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. જેમાં જંબુસર ૬૯, આમોદ ૪૪, વાગરા ૬૦, ભરૂચ ૭૭, અંકલેશ્વર ૪૩, હાંસોટ ૩૬, વાલીયા ૪૫, ઝઘડીયા ૭૪, નેત્રંગ ૩૫ મળી કુલ-૪૮૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે.
તેની સાથે ૨૦ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ પણ યોજાનાર છે. જેમાં આમોદ ૦૧, વાગરા ૦૧, ભરૂચ ૦૭, અંકલેશ્વર ૦૫, હાંસોટ ૦૪, ઝઘડીયા ૦૨ મળી કુલ-૨૦ ગ્રામ પંચાયતોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાશે. તેમ ભરૂચ કલેકટર કચેરીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાખા દ્વારા જણાવાયું છે.

ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ
1.ચૂંટણીની જાહેરાતની તારીખ – ૨૨-૧૧-૨૦૨૧
2.ચૂંટણીની નોટીસો/જાહેરનામાં પ્રસિધ્ધ કરવાની તારીખ – ૨૯-૧૧-૨૦૨૧
3.ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ – ૦૪-૧૨-૨૦૨૧
4.ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ – ૦૬-૧૨-૨૦૨૧
5.ઉમેદવારી પરત ખેંચવાની તારીખ – ૦૭-૧૨-૨૦૨૧
6.મતદાનની તારીખ તથા સમય તારીખ – ૧૯-૧૨-૨૦૨૧ (રવિવાર) સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી
7.પુનઃ મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તારીખ – ૨૦-૧૨-૨૦૨૧
8.મતગણતરીની તારીખ – ૨૧-૧૨-૨૦૨૧
9.ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ – ૨૪-૧૨-૨૦૨૧

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!