The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized નેત્રંગ તાલુકામાં સરપંચોની ચુંટણીઓથી ગ્રામજનોની એકતામાં પડી તિરાડ

નેત્રંગ તાલુકામાં સરપંચોની ચુંટણીઓથી ગ્રામજનોની એકતામાં પડી તિરાડ

0
નેત્રંગ તાલુકામાં સરપંચોની ચુંટણીઓથી ગ્રામજનોની એકતામાં પડી તિરાડ

•નેત્રંગ તાલુકામાં ભાજપના ૨૦,કોંગ્રેસ ૮ અને બીટીપીના ૭ સરપંચો ચુંટાયા

નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતોની ચુંટણીમાં સરપંચ-સભ્યોના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો.ગ્રા.પંચાયતની ૮૦.૮૪ ટકાના વિક્રમી મતદાન બાદ સત્તાનું સુકાન કોણ સંભાળશે તે કહેવું શક્ય નહતું.ભારે ઉત્તેજના અને આશાઓ સાથે નેત્રંગ તાલુકા મથકે આવેલ શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલના સાંસ્કૃતિક ભવનમાં મતગણતરી હાથ ધરાઇ હતી.સરપંચ-સભ્યોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે આવી એક પ્રકારનું શક્તિપ્રદર્શન કર્યુ હતું.

પરિણામ જાહેર થયા બાદ સરપંચ-સભ્યોના ઉમેદવારો અને ત્રણેય રાજકીય પક્ષોના નેતાઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.કેટલાક ગામોમાં સરપંચની ચુંટણીઓ પુર્ણ થયા બાદ ભાઇ-ભાઇ,પરીવારના સભ્યો,ગ્રામજનો અને ત્રણેવ રાજકીય પક્ષોના કાર્યકરોની ચુંટણીઓથી ગ્રામજનોની એકતામાં તિરાડ પડી છે.

જેમાં ભાજપ,કોંગ્રેસ અને બીટીપીના મોટા નેતાઓએ પણ ચુંટણીઓમાં હારનો સ્વાદ ચાખ્યો છે.જીલ્લા-તાલુકાકક્ષાના પક્ષના જ કાર્યકરો ચુંટણીઓ હારી જતાં ભારે રાજકીય ગરમાટો પ્રસરી જવા માંડ્યો હતો.એક સર્વે મુજબ નેત્રંગ તાલુકામાં ભાજપના ૨૦,કોંગ્રેસ ૮ અને બીટીપીના ૭ સરપંચો ચુંટાયાના અહેવાલ મળ્યા છે.ઝઘડીયા વિધાનસભા કબ્જે કરવા ત્રણેય રાજકીય પક્ષોએ સરપંચો ઉપર દાવ લગાવ્યો હતો.એકંદર કોણ સફળ રહેશે તે આવનાર સમયમાં વિધાનસભાના ચુંટણીના પરીણામ બાદ ખબર પડશે.

•દિવ્યાંગ મિસ્ત્રી,ન્યુઝલાઇન, નેત્રંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!