ભરૂચ જિલ્લાના આમોદ-દહેજ-મુલેર રોડ પર બાદલપુર ખાડી પર નવા બ્રીજની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી, ચાંચવેલથી મુલેર સુધીનો માર્ગ 2 એપ્રિલ 2026થી 90 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઇ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, ટ્રાફિક નિયમન અને સુરક્ષા માટે વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. ભારે વાહનો માટે ચાંચવેલ-બદલપુરા-ઓચ્છણ-મુલેર થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, અને તંત્ર દ્વારા વાહનચાલકોને આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના આમોદ-દહેજ-મુલેર રોડ પર બાદલપુર ખાડી પર નવા બ્રીજની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી, ચાંચવેલથી મુલેર સુધીનો માર્ગ 2 એપ્રિલ 2026થી 90 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઇ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, ટ્રાફિક નિયમન અને સુરક્ષા માટે વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. ભારે વાહનો માટે ચાંચવેલ-બદલપુરા-ઓચ્છણ-મુલેર થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, અને તંત્ર દ્વારા વાહનચાલકોને આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

