The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ વચ્ચે મોબાઇલ ચોરીની ઘટના!

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ વચ્ચે મોબાઇલ ચોરીની ઘટના!

0
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ વચ્ચે મોબાઇલ ચોરીની ઘટના!

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ વચ્ચે ચોરીની ઘટના સામે આવી છે. અંકલેશ્વરમાં રહેતી શિક્ષિકા ગીતાબેન કમલેશભાઈ પટેલનો મોબાઇલ અજાણ્યા ચોર દ્વારા ચોરી કરી લેવાયો હોવાનો બનાવ નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, ગીતાબેન પટેલ તા. 15 માર્ચ 2026ના રોજ વહેલી સવારે અંકલેશ્વરથી વડોદરા જવા માટે રેલ્વે સ્ટેશન પર પહોંચી હતી. સવારે અંદાજે 6:40 વાગ્યે ટ્રેન નં. 19033 ગુજરાત ક્વીન એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1 પર આવતા તેઓ જનરલ ડબ્બામાં ચડતી વખતે ભારે ભીડનો સામનો કરવો પડ્યો હતો.
ટ્રેન શરૂ થયા બાદ જ્યારે તેમણે પોતાના પર્સમાંથી મોબાઇલ કાઢવા પ્રયાસ કર્યો ત્યારે મોબાઇલ મળ્યો નહોતો. તપાસ કરતા જાણવા મળ્યું કે ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યા ચોરે તેમનો સેમસંગ કંપનીનો M32 મોડેલનો અંદાજે ₹13,000 કિંમતનો મોબાઇલ ચોરી કરી લીધો હતો.
આ બનાવ અંગે ગીતાબેન પટેલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રેલ્વે સ્ટેશન જેવા વ્યસ્ત સ્થળોએ વધતી ચોરીની ઘટનાઓને લઈ મુસાફરોમાં ચિંતા વ્યાપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!