The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News દહેજના ન્યુ વાડિયા ગામે પરપ્રાંતીય કામદારની હત્યા

દહેજના ન્યુ વાડિયા ગામે પરપ્રાંતીય કામદારની હત્યા

0
દહેજના ન્યુ વાડિયા ગામે પરપ્રાંતીય કામદારની હત્યા

ભરૂચના દહેજના ન્યુ વાડિયા ગામે અંગત અદાવતે પર પ્રાંતીય કામદારની બેટના ફટકા મારી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચના દહેજમાં કંપનીમાં કામ કરતા કામદારોની વસાહતમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.

આ અંગેની મળતી વિગતો અનુસાર દહેજના ન્યુ વાડીયા ગામે કુલદીપ હાઉસમાં રહેતા અને મૂળ બિહારના પરમેશ્વર રામપ્રવેશ અને રાકેશસિંહ દયાલ નામના કામદારો વચ્ચે અંગત અદાવતે બોલાચાલી થઈ હતી.
જેમાં ઉશ્કેરાયેલા પરમેશ્વર રામપ્રવેશ નામના વ્યક્તિએ મૃતક રાકેશસિંહ દયાળ પર ક્રિકેટ રમવાના બેટ વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત તથા તેને અન્ય સાથી કામદારો દ્વારા ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મત નિપજ્યું હતું. ત્યારબાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે દહેજ પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!