
ગત તારીખ 6-12-22 ના રોજ સમય બપોરે 1:15 વાગે અંકલેશ્વર ના ભડકોદ્રા ગામ નૉ કેસ હતો જેમાં એક ગાય માતા નૉ પ્રોલેપ્સ (દેહ ખસી જવું) એવુ કહેવાય, ગામ ના લોકો એ ગાય ને પોતાના ઘર પાસે આસરો આપી અને 1962 ને કોલ કર્યો.
1962 એનિમલ એમ્બ્યુલન્સ વાયુ વેગે ભડકોદ્રા ગામમાં પોંહચી જઈ ઘટના સ્થળે પશુ ચિકિત્સક ર્ડો નીરવ પટેલ સાથે પાયલોટ હિંમતસિંહ ચૌહાણ ની મેહનત રંગ લાવી.જેમાં ર્ડો નીરવ પટેલ ની સૂઝ બુઝ ને કારણે ગાયનો દેહ પાછો તેના માં મૂકી દીધી અને ગાય નૉ અમૂલ્ય જીવ બચાવી ને નવું જીવનદાન આપ્યું હતું.કરૂણા એમ્બ્યુલન્સને કારણે અત્યાર સુધી માં 10021 થી પણ વધુ પશુ-પક્ષી ઓના જીવ બચાવ્યા.