The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News આમોદના માતરમાં આદિવાસી યુવાને ફોડેલા ફાટકડાનો તણખો ઉડતા મુસ્લિમ યુવકે મોતને ઘાટ ઉતાર્યો

આમોદના માતરમાં આદિવાસી યુવાને ફોડેલા ફાટકડાનો તણખો ઉડતા મુસ્લિમ યુવકે મોતને ઘાટ ઉતાર્યો

0
આમોદના માતરમાં આદિવાસી યુવાને ફોડેલા ફાટકડાનો તણખો ઉડતા મુસ્લિમ યુવકે મોતને ઘાટ ઉતાર્યો

આમોદ તાલુકાના માતર ગામે ફટાકડા ફોડતા તણખો બાજુમાં મુસ્લિમ યુવકના ઘર આગળ થર્મોકોલના ખોખા ઉપર પડતાં થર્મોકોલ સળગી ગયું હતું જેની રીષ રાખી મસ્જીદ ફળિયામાં રહેતા મુસ્લિમે યુવકને મારમારી જીવલેણ ઇજાઓ પહોંચાડતા તેનું બીજા દિવસે કરુણ મોત થયું હતું.આમોદ પોલીસે હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી હત્યારાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના માતર ગામે ગત ૧૩ મી નવેમ્બરના રોજ રાત્રીના સમયે જગદીશ જીવણ વસાવા ઉ.વ.૪૦ તેના ઘરના આગળ આંગણામાં ફટાકડા ફોડતો હતો.તેવામાં ફાટકડાનો તણખો ઉડીને મસ્જિદ ફળિયામાં રહેતા ફૈઝલ મહંમદ કાળા ના ઘર ઉપર રાખેલા થર્મોકોલના ખોખા ઉપર પડતા થર્મોકોલ સળગ્યું હતું.જેની રીષ રાખી ફૈઝલ મહંમદ કાળાએ જગદીશ વસાવાને મોઢા ઉપર પેટ ઉપર છાતીના ભાગે તેમજ પેઢા ના ભાગે લાતો મારી ઢીકા પાટુનો માર માર્યો હતો.જેથી જીવલેણ ઇજાઓ થતા તેનું ૧૪ મી નવેમ્બરના રોજ બપોરના સમયે કરુણ મોત થયું હતું.જે બાબતે મરણ જનાર જગદીશ વસાવાના કાકી મંજુલાબેન વસાવાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.પોલીસે ફૈઝલ મહંમદ સામે હત્યા તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.જેની તપાસ એસ.એસટી.સેલના નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સરવૈયા ચલાવી રહ્યા છે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!