The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News આમોદના કાંકરીયા ગામે ભરવાડોએ કરેલા હુમલાના વિરોધમાં આદિવાસી સમાજે આપ્યું આવેદન

આમોદના કાંકરીયા ગામે ભરવાડોએ કરેલા હુમલાના વિરોધમાં આદિવાસી સમાજે આપ્યું આવેદન

0
આમોદના કાંકરીયા ગામે ભરવાડોએ કરેલા હુમલાના વિરોધમાં આદિવાસી સમાજે આપ્યું આવેદન

આમોદ તાલુકાના કાંકરીયા ગામે ભરવાડોએ આદિવાસી સમાજના યુવાનો અને બાળકોને માર મારતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો.જેથી સમગ્ર આમોદ તાલુકામાંથી આદિવાસી સમાજ આવેદનપત્ર આપવા ઉમટી2 પડ્યો હતો.તેમજ આમોદ પોલીસ પણ ભરવાડોને ખુલ્લો સપોર્ટ કરતી હોવાનો આક્ષેપ કરી આજ રોજ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ૨૯ મી ઓક્ટોમ્બરના રોજ મારામારી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થઈ છતાં પોલીસે લાવેલા આરોપીને છોડી મુક્યો હતો.જેથી આરોપીએ બીજા દિવસે ગેરકાયદેસર મંડળી બનાવી ૨૧ થી વધુ ભરવાડોએ ભેગા મળી આદિવાસી સમાજના નાના બાળકો તેમજ યુવાનો ઉપર ડાંગના સપાટા મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.જેમાં પોલીસની કાર્યવાહી સામે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આવેદનપત્ર આપ્યા બાદ સમગ્ર આદિવાસી સમાજના ભાઈઓ બહેનો જય આદિવાસી જય જોહર ના સૂત્રો પોકારી આદિવાસી સમાજે રોષ વ્યકત કર્યો હતો. આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ પોલીસ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતાં.

વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ખોડિયાર નગર અને મેલડી નગરના ભરવાડો અલગ અલગ બહાના હેઠળ ઢોર ચરાવતા અને ખેતરે જતા માણસો અને સ્ત્રીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.કાંકરીયા અને માનસંગપુરાના ગરીબ અભણ અને મજૂરીયાત વર્ગને રોજી રોટીના કામે બહાર નીકળવાનું હોય ભરવાડોના ભયથી જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે.જે બાબતે તેમણે આમોદ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!