The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News આમોદના કાંકરીયા ગામે આદિવાસી યુવાનોને ભરવાડે ડાંગના સપાટા મારતા ૨૧ સામે ફરિયાદ

આમોદના કાંકરીયા ગામે આદિવાસી યુવાનોને ભરવાડે ડાંગના સપાટા મારતા ૨૧ સામે ફરિયાદ

0
આમોદના કાંકરીયા ગામે આદિવાસી યુવાનોને ભરવાડે ડાંગના સપાટા મારતા ૨૧ સામે ફરિયાદ

આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં ૨૮ મી ઓક્ટોમ્બરના રોજ ભેંસો શોધવા માટે પાણીની ટાંકી ઉપર ચઢેલા છોકરા બાબતે આરોપીના છોકરાને કહેવા ગયો હતો.જેની રીષ રાખી આરોપીએ ફરિયાદી તથા તેના પિતા તેમજ તેના મિત્રોને પણ ડાંગના સપાટા મારી ઇજાગ્રસ્ત કર્યા હતાં.જે બાબતે આમોદ પોલીસ મથકે ૨૯ મી ઓક્ટોબરના સાંજના સમયે મારામારી તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના કાંકરીયા ગામે ૨૮ મી ઓક્ટોમ્બરના રોજ જયેશ નામનો છોકરો ભેંસો શોધવા માટે પાણીની ટાંકી ઉપર ચઢ્યો હતો.જે બાબતે અશ્વિન વસાવાએ હરજી ભરવાડના છોકરાને કહ્યું હતું કે તમારી ભેંસો શોધવા જયેશ પાણીની ટાંકી ઉપર ચઢ્યો હતો અને કદાચ પડી ગયો હોત તો તમારું જ નામ આવતું.જેની રીષ રાખી ૨૯ મી ઓક્ટોમ્બરે સવારના સમયે અશ્વિન તથા તેના પિતાને હરજી ભરવાડે ગમે તેમ ગાળો બોલતો હતો.

કાંકરીયા ગામે રાયોટીંગનો ગુનો બનતા પોલીસે કાંકરીયા તેમજ મેલડી નગરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કાંકરીયા ગામે ગત ૨૯ મી ઓક્ટોમ્બરના રોજ આદિવાસી સમાજના લોકો સાથે હરજી ભરવાડને મારામારી થઈ હતી.જે બાબતે અશ્વિન વસાવાએ હરજી ભરવાડ વિરૂધ્ધ મારામારી થતા એટ્રોસીટી એક્ટ મુજબ આમોદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.જેથી પોલીસ હરજી ભરવાડને પકડી લાવી આમોદ પોલીસ મથકે બેસાડી દીધો હતો.ત્યાર બાદ ગંભીર ગુનાના આરોપીને આમોદ પોલીસે કાયદાનો ડર રાખ્યા વિના છોડી મુક્યો હતો.

ત્યાર બાદ બીજા દિવસે રવિવારે કાંકરીયા બસ સ્ટેન્ડ પાસે ૨૧ થી વધુ ભરવાડોએ ગેરકાયદેસર મંડળી બનાવી કાંકરીયા ગામે પહોંચી આદિવાસી લોકોને મારવા દોડી ગયા હતા.જેમાં આમોદ પોલીસે રાયોટીંગ,જાનથી મારી નાખવાની કોશિશ,એટ્રોસીટી એક્ટ તેમજ મારામારી સહિતની કલમો ઉમેરી ૨૧ ભરવાડો સામે ફરિયાદ દાખલ કરી છે.જેમાં પોલીસે ૨૯ મી તારીખે નોંધેલા ગુનામાં પણ હરજી ભરવાડને આરોપી બતાવ્યો છે તેમજ ૩૦મી ઓક્ટોમ્બરે નોંધાયેલા રાયોટીંગના ગુનામાં પણ હરજી ભરવાડને આરોપી બતાવ્યો છે.આમ આમોદ પોલીસની ગંભીર પ્રકારની બેદરકારીને કારણે ગરીબ વસાવા સમાજના લોકોને વધુ માર ખાવાનો વખત આવ્યો હતો.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!