•”મીરા આયુવેદીક ઓષદ કેંદ્ર” ના નામથી બોગસ દવાખાનું ચલાવતા
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા નાઓએ હાલમાં ભરૂચ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના આપેલ હતી.
જેથી મદદનીશ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચ વિકાસ સુંડા નાઓના માર્ગદર્શન હેઠળ “સી”ડીવીઝન પોલીસ દ્વારા ભરૂચ કસક વિસ્તારમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટ માંથી “મીરા આયુવેદીક ઓષદ કેંદ્ર” ના નામથી બોગસ દવાખાનું ચલાવતા મોગલ મીરાશાહ મસ્તાનવલી ઉ.વ.૨૯ રહેવાસી ૧૦૧ મહેતાવાડી સુલેમાની બેન્ક પાસે નાગરવાડા વડોદરા વાળો કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો,એલોપેથિક દવાઓ, ઇન્જેકશન સાથે કુલ કિ.રૂ. ૬૦૩૬/- ના મુદામાલ સાથે મળી આવતા તેની અટકાયત કરી હતી.
સી ડીવિઝન પોલીસે આરોપી વિરૂધ્ધ મેડોકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ સહિત વિવિધ કલમ મુજબ ગુન્હો દાખલ કરી અને વધુ તપાસ હાથધરી છે.