The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized આજથી યાત્રાધામ પાવાગઢ બનશે સુમસામ : ૬ દિવસ સુધી મંદિર અને રોપ-વે રખાશે બંધ

આજથી યાત્રાધામ પાવાગઢ બનશે સુમસામ : ૬ દિવસ સુધી મંદિર અને રોપ-વે રખાશે બંધ

0

•આજથી 5 દિવસ સુધી પાવાગઢ આવનારા યાત્રાળુઓને ફરજીયાત ડુંગરના પગથિયાં ચઢી કરવા પડશે માતાજીના દર્શન

યાત્રાધામ પાવાગઢ ખાતે આજથી રોપ વે અને મંદિરના દર્શન ભક્તો માટે બંધ રહેશે.વળી મંદિરમાં ગર્ભ ગૃહના નિર્માણ કાર્યને લઈ આજથી 17 ડિસેમ્બર સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

જયારે રોપ-વેનું પણ એન્યુઅલ મેન્ટેનન્સ કરવાનું હોવાથી ઉષા બ્રેકો દ્વારા આજથી 18 ડિસેમ્બર સુધી સેવા બંધ રાખવા નિર્ણય લેવાયો છે. દર વર્ષે નિયમિત રોપ-વેનું સંપૂર્ણ પણે મેન્ટેનન્સ કરવામાં આવે છે. ત્યારે આજથી 17 ડિસેમ્બર સુધી રોપ વે અને મંદિર બંધ રહેતા યાત્રાધામ પાવગઢ સુમસામ બન્યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓને માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત ઉડન ખટોલા (રોપ-વે) ચલાવવામાં આવે છે, આ રોપ-વે આજથી 6 દિવસ માટે બંધ એટલે કે તારીખ 13 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી મેઇન્ટેનન્સ માટે ઉડન ખટોલા સેવા બન્ધ રહેશે જે 19 ડિસેમ્બરથી પુનઃ શરૂ કરી દેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!