The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી પાસે ઇકોની ટક્કરે બાઇક ચાલકનું મોત

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામના માતંગી પેટ્રોલ પંપ પાસે ઇકો કાર ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર મારી હતી. જેમાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું.

મૂળ મહારાષ્ટ્રના અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલી વ્રજવીલા સોસાયટીમાં રહેતા 28 વર્ષિય સમાધાન અજાબરાવ પાટીલ ગઈકાલે રવિવારે સવારના અરસામાં પોતાની મોટરસાઇકલ નંબર-જી.જે.16.એ.બી.9684 લઈ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામના માતંગી પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલી ઇકો કાર નંબર-જી.જે.16.સી.એન.7697ના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં સમાધાન પાટીલને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 સેવાની મદદથી અંકલેશ્વર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!