The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

લાલ કિલ્લા ઉપરથી PM નું આહવાન ભરૂચ વહીવટી તંત્રે કર્યું દેશમાં સાર્થક

આઝાદી કા અમૃતમહોત્સવ 15 ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેશ જોગ સંબોધન. અને તેમના આહવાનને ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ઝીલી લીધું. આજે વિધવા, નિરાધાર અને વૃદ્ધ સહાયની 4 યોજનામાં 12856 લાભાર્થીઓને શોધી 100 ટકા લાભ અપાવવા સાથે ભરૂચ જિલ્લો આ પહેલના અમલીકરણમાં દેશમાં પેહલા સ્થાને પોહચી ગયો છે.

PM નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2021 ના રોજ 75 માં સ્વાતંત્ર્ય પર્વ ઉપર દિલ્હીના લાલ કિલ્લા પરથી સરકારી યોજનાઓનો દરેક જરૂરિયાતમંદ લોકોને લાભ મળે તે માટે સૌના સાથ, સૌના વિકાસ હેઠળ કામગીરી કરવા આહવાન કર્યું હતું.

PM ના આહવાનને ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ઝીલી લીધું હતું. જાન્યુઆરી 2022 થી 3 મહિના માટે ઉતકર્ષ પહેલ જિલ્લા વહીવટી તંત્રે શરૂ કરી હતી. ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, આમોદ નગર, 9 તાલુકા અને 645 જેટલા ગામોમાં આ પહેલ હેઠળ તબક્કાવાર આયોજન ગ્રાઉન્ડ લેવલ સુધી ઘડી કઢાયું હતું.

ભરૂચ જિલ્લામાં સરકારની 4 યોજનાઓ વિધવા સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ યોજના અને કુટુંબ આર્થિક સહાયનો લાભ અપાવવા ઉતકર્ષ પહેલ શરૂ કરાઇ હતી.

જેમાં જરૂરિયાતમંદ લોકો સુધી પોહચી શકાય અને 100 ટકા લોકોને આવરી લેવાય તે માટે ઇનસેન્ટીવ પણ સામેલ કરાયું હતું. યોજનામાં સહાય લાયક લોકોને શોધવા, ફોર્મ ભરાવવા, ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા શિક્ષિત બેરોજગરોને પેહલા ₹250 નું ઇનસેન્ટીવ બાદમાં ₹500 નું ઇનસેન્ટીવ ફોર્મ દીઠ અપાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!