The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News આમોદ તાલુકામાં પશુપાલન વિભાગ દ્વારા 10 ગામ દિઠ ફરતુ પશુ દવાખાનું શરૂ કરાયું

આમોદ તાલુકામાં પશુપાલન વિભાગ દ્વારા 10 ગામ દિઠ ફરતુ પશુ દવાખાનું શરૂ કરાયું

0
આમોદ તાલુકામાં પશુપાલન વિભાગ દ્વારા 10 ગામ દિઠ ફરતુ પશુ દવાખાનું શરૂ કરાયું

પશુ પાલન વિભાગ ગુજરાત રાજ્યની અનોખી પહેલ એટલે દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું -1692 જે GVK EMRI દ્વારા PPP મોડેલથી ગુજરાત માં કાર્યરત છે. આ દવાખાના દ્વારા પશુઓને પદ્ધત્તિસરની સારવાર માટે પશુ ચિકિત્સા અધિકારી દ્વારા ઘટના સ્થળ પર જઈને ની:શુલ્ક સારવાર આપવામાં આવે છે.

આમોદ તાલુકાના હાલ 20 ગામ માં આ સેવા કાર્યરત છે. જેમાં આમોદ તાલુકામાં બે એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં એક દોરા લોકેશન અને સમની લોકેશન બેજ લોકેશન છે જેમાં દોરા MVD માં ચકલાદ ગામ ઉમેરવામાં આવ્યો છે અને સમની MVD માં સીમરથા ગામ ઉમેરવામાં આવે છે 18/04/2022 થી સીમરથા ગામના સાંકળી લીધું છે.

આ સેવા ના શરૂ થવાના આજ રોજ ભરૂચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ડૉ. રવી રીંકે અને કો ઓર્ડીનેટર યોગેશ દોશીના નિર્દેશન નીચે દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારી ડો. કશ્યપ અને ડ્રાઇવર કમ ડ્રેસર જગદીશ થકી સીમરથા ગામમાં પ્રચાર કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!