The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ગુજરાતમાં કમળ સામે ઝાડું ફેરવવા ગઠબંધન જ વિકલ્પ : MLA મહેશ વસાવા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ધીમે ધીમે નજીક આવી રહી છે તેમ BJP સહિત તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. પંજાબમાં આપે તમામ રાજકીય પક્ષોનો ખેલ બગાડ્યા બાદ સત્તા હાસિલ કરતા હવે અરવિંદ કેજરીવાલની નજર ગુજરાત તરફ કેન્દ્રિત થઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આપ-BTPનું ગઠબંધન હવે મુલાકાતોનો દોર વધારી બેઠકો કરી તેને આખરી ઓપ આપવા તરફ વધી રહ્યું છે.આપ-BTP 2.0 ગઠબંધન જોકે હજી સુધી ફાઇનલ થઈ શક્યું નથી. બિટીપીની રીક્ષામાં સવાર થઈ આપને ગુજરાતમાં કમળ સામે ઝાડું ફેરવવા ગઠબંધન જ વિકલ્પ હોવાનું MLA મહેશ વસાવાએ નિર્દેશ કર્યો છે.

કેજરીવાલ ઈચ્છે છે કે, BTP આપમાં જોડાઈ ચૂંટણી લડે જ્યારે છોટુભાઈ વસાવાની ઈચ્છા BTP અને AAP ના ગઠબંધનની છે. આ અંગેનું કારણ જણાવતા MLA મહેશ વસાવા એ કહ્યું હતું કે, કેજરીવાલનો વિષય છે, આપ માંથી લડો. જ્યારે અમારો ગઠબંધન.કોંગ્રેસ-ભાજપ સામે MLA છોટુ વસાવા અને અમે 55 વરસથી સંઘર્ષ કરીએ છીએ. અમારા મુદ્દા સંવિધાન, તમામનો સર્વાંગી વિકાસ, મૂળભૂત અધિકારો, ST, SC, OBC, માઈનોરિટી તમામને સાથે લઈને ચાલવાનો અને તેમને તેમના બંધારણીય અધિકારો સાથે પ્રાથમિક સવલતો આપવાનો છે.

દિલ્હીમાં અમે જ્યારે જતા ત્યારે પાનનો ગલ્લો, રક્ષાવાળો, લારીવાળો કે બસવાળાને પૂછયે તો એ જ કહે, કેજરીવાલ જ ચાલે અહીં તો. એવી જ રીતે છોટુભાઈ કોંગ્રેસ-ભાજપ સામે 55 વરસથી ચાલતા હોય આપ ના બેનર હેઠળ કઈ રીતે ચૂંટણી લડાઈ. ગઠબંધન ઉપર સહમતી સંધાશે તો ગુજરાતની ચૂંટણી માટે BTP આપ જોડે આગળ વધશે.જો BTP અને AAP નું ગઠબંધન થયું તો આ વખતે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહેશે તેમ પણ મહેશ વસાવાએ કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!