શુકલતીર્થમાં ડૂબી જવાથી મોતને ભેટેલ બે યુવાનોની ધટનાનું દુ:ખ વ્યકત કરતા સાંસદ મનસુખ વસાવા

0
175

ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના શુકલતીર્થ ગામે ધૂળેટીના દિવસે ધૂળેટીની ઉજવણી બાદ નર્મદામાં નહાવાગયેલા ત્રણ યુવાનો પૈકી બે યુવાનોના દૂબી જવાથી મોતની ધટના બનતા સાંસદ મનસુખ વસાવા આજ રોજ શુકલતીર્થ ગામે પહોંચ્યા હતા.

સાંસદ મનસુખભાઇએ મૃતક યુવાનોના પરિવારને સાંતવના પાઠવવા સાથે તેમના કરૂણ મોત બદલ દુખ વ્યક્ત કરી રેતી માફીયાઓ દ્વારા નર્મદામાં રેતી કાઢવા કરાતા ૩૦ ફૂટ જેટલા ઉંડા ખાડાને ગેરકાયદેસરના કહી કિંતા વ્યક્ત કરી હતી. સાંસદ મનસુખભાઇ વસાવાએ આ અંગે સરકારમાં રજૂઆત કરી હોવાની પણ વાત ઉચ્ચારી આવા ગેરકાયદે ચાલતા રેતી ખનન બંધ કરાશેની વાત કહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here