The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News અંકલેશ્વર શહેરને ડસ્ટબીન મુક્ત બનાવવાની થઈ શરૂઆત

અંકલેશ્વર શહેરને ડસ્ટબીન મુક્ત બનાવવાની થઈ શરૂઆત

0
અંકલેશ્વર શહેરને ડસ્ટબીન મુક્ત બનાવવાની થઈ શરૂઆત
  • ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતા વાહનોનું પ્રમુખના હસ્તે લોકાર્પણ

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા નું કલેક્શન કરતા વાહનો નું લોકાર્પણ કરાયું હતું. નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયાસ ભાગ રૂપે શહેર ને ડસ્ટબીન મુક્ત બનાવવા ની પહેલ ની પણ શરૂઆત કરી હતી ડોર ટુ ડોર કલેકશન અંગે શહેરીજનો માટે હેલ્પલાઇન નંબર જારી કરાયો હતો.

અંકલેશ્વર નગરપાલિકા માં આવતા નવ વોર્ડમાં જનતાની સુખાકારી અર્થે માળખાકીય સુવિધા પુરી પાડવા માટે નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા ના કલેકશન સેવા નો પ્રારંભ કર્યો છે. નગરપાલિકા કચેરી ખાતે દરેક વોર્ડમાં ઘન કચરો અને ભીનો કચરો ઘરે ઘરેથી ઉઘરાવવા માટે ના વાહનો નું નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા ના હસ્તે લોકાર્પણ કરવામાં માં આવ્યું હતું. નગર પાલિકા દ્વારા શહેર ને સ્વચ્છ અને સુંદર તેમજ ડસ્ટબીન મુક્ત શહેર બનાવવા ની એક પહેલ કરવામાં આવી છે સાથે નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કલેક્શન અંગે શહેરીજનો માટે એક હેલ્પ લાઈન નંબર જારી કરવામાં આવ્યો છે અને શહેરીજનો ને પણ સ્વચ્છતા બાબતે નગરપાલિકાને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!