ભરૂચ જીલ્લામાં બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તું અનાજ ન મળતા આજે જયભારત રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદાર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

આ લેખિતપત્રમાં જણાવ્યા અનુસાર કોરોના કાળમાં સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરી વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ કેટલાક સસ્તી અનાજના દુકાનદારો દ્વારા બી.પી.એલ કાર્ડ ધારકોને અનાજ ન આપી સક્ષમ લોકોને આ અનાજ આપતા હોય અને જરૂરિયાતમંદ પરિવારો સસ્તા અનાજથી વંચિત રહી જતાં હોય આ બાબત જયભારત રિક્ષા એસોસિએશનના ધ્યાને આવતા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. બી.પી.એલ કાર્ડ ધારકો સસ્તા અનાજથી વંચિત ન રહે તે માટે મામલતદારને અપીલ કરી હતી. આ પ્રસંગે જયભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાજ પટેલ, ઉપપ્રમુખ મિર્જા આબિદ બેગ, મંત્રી અતુલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here