The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચ: ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી આમ આદમી પાર્ટીએ મનાવ્યો શહીદ દિવસ

ભરૂચ: ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી આમ આદમી પાર્ટીએ મનાવ્યો શહીદ દિવસ

0
ભરૂચ: ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી આમ આદમી પાર્ટીએ મનાવ્યો શહીદ દિવસ

ભરૂચ ખાતે સ્ટેચ્યુ બાગ ખાતે મહાત્મા ગાંધીજી ની પ્રતિમા ને ફૂલહાર,સુત્રોચ્ચાર કરી આમ આદમી પાર્ટીએ શહીદ દિવસ મનાવ્યો હતો.

૩૦મી જાન્યુઆરીનો ગોજારો દિવસ એટલે મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ જેને આપણે “ શહિદ દિવસ” તરીકે ઊજવીએ છે. આ દિવસે વિશ્વશાંતિના પ્રણેતા આપણા વહાલા બાપુને વિકૃત અને હિન માનસીકતા ઘરાવતા લોકોએ આપણાથી છીનવ્યા હતા. આજે દેશપર ગાંધીના હત્યારાઓની માનસિકતા ઘરાવતા લોકોનું સાશન છે ત્યારે ગાંધી શહિદ દિને ગાંધીનો સંદેશ સમગ્ર રાજ્યમાં ફેલાઈ તે હેતુથી અને બાપુ પ્રત્યેની કૃતગ્યતા વ્યક્ત કરવા માટે સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ લઘુમતી સેલ ના પ્રમુખ આરિફભાઈ અંસારી, ગોપાલ રાણા સહિત આમ આદમી પાર્ટીની વિચારધારાને વરેલા કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!