The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ૭૩માં પ્રજાસત્તાક પર્વની કરાઇ ઉજવણી

ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સંસ્થાનનાં અધ્યક્ષ એડવોકેટ ફિરદોશબેન મન્સુરીનાં વરદ હસ્તે તથા બોર્ડ મેમ્બર અને જાણીતા કેળવણીકાર કે.કે.રોહિતની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.

સંસ્થાનનાં નિયામક ઝયનુલ આબેદ્દીન સૈયદે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દેશભકિત ગીત પણ રજૂ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કે.કે.રોહિત દ્વારા પ્રજાસત્તાક પર્વનો મર્મ સમજાવતા વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા અને ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા તૈયાર થયેલ સંવિધાન અને બંધારણ વિષે વિસ્તૃત છણાવટ કરી.સમાજમાં નાગરિક તરીકેનાં પોતાનાં હક્કો અને ફરજો વિષે માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે જે.એસ.એસના સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં જે.એસ.એસનાં હેતલબેન અમિતભાઇ પટેલે સૌને આભાર વ્યકત કયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!