The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

હાંસોટનાં અલવા ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : એક જ પરિવારના 5 ના મોત

ભરૂચ જિલ્લાના હાંસોટના અલવા ગામ નજીક આજરોજ ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અલવા ગામ નજીકથી પસાર થઈ રહેલ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર એક જ પરિવારના 5 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કારમાં ફસાયેલ એક બાળકને હેમખેમ બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. જ્યારે અકસ્માતમાં ચાર મહિલા તેમજ એક પુરુષનું મોત નીપજયું છે. બનાવ અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અકસ્માતગ્રસ્ત કારમાં એક કાર GJ 16 DG 8381 હિરેન્દ્રસિંહની હ્યુન્ડાઇ વેન્યુ હતી. જ્યારે બીજી કાર GJ 6 FQ 7311 ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઇક્રામ ભાઈની માલિકીની વરના હતી.મૃતકોમાં ઈમ્તિયાઝ ભાઈ પટેલ ઉ. વ. 62, તેમના પત્ની સલમા બેન પટેલ ઉ .વ. 55, ઈમ્તિયાઝ ભાઈ ની દીકરી મારિયા દિલાવર પટેલ ઉ. વ. 25, તેઓની બીજી દિકરી અફિફા સફવાન ઈલ્યાસ અફીણી ઉ.વ. 25 અને કાર  માલિક ભરૂચના વેપારી  ઇકરામભાઈની પત્ની જમિલા પટેલ ઉ .વ. 48 નો સમાવેશ થાય છે જ્યારે એક નાના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.તો વેન્યુ કારમાં સવાર લોકોનો પણ આબાદ બચાવ થયોની માહિતી હાલ સુધી સાપડી રહી છે.

બન્ને કાર વળાંક પર સામ સામે ધડાકાભેર અથડાતા 2022 ની નવી વેન્યુ કારમાં એરબેગ ખુલી જતા અંદર સવાર લોકોના જીવ બચી ગયા હતા. જ્યારે વરના 2013 નું મોડલ હોય તેનો આગળનો અડધો ભાગ કૂચડો બોલી ગયો હતો. સ્થાનિકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ ભેગા થઈ રાહત બચાવ સાથે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પોહચાડવા સહિત ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!