The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

સાપુતારા ફરવા ગયેલા અંકલેશ્વરના યુવકોની કાર ડિવાઈડર સાથે અથડાતા પલટી, 2 ના મોત, 2ને ઈજા

નવસારી જિલ્લાના વાસદા વગઈ માર્ગ પર કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકના મોત થયા હતા. જ્યારે અન્ય બે યુવાનને ઈજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. તેમજ અકસ્માતમાં કારનો કૂરચો બોલી ગયો હતો.

વાંસદા તાલુકાના ચારણવાડા ગામ નજીક કાર ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઇ હતી. કારની સ્પીડ એટલી હતી કે, અકસ્માતમાં કારના કૂરચેકૂરચા નીકળી ગયા હતા. અકસ્માતમાં પાર્થ વજુ ડોબરીયા (24) વિકેન રાકેશ ખાંટ (22) યુવાનના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે અન્ય બે યુવાનો નીરજ પ્રકાશ ડોબરીયા (22) હર્ષિલ કાનજી ઠુમ્મર નામના યુવાનો ઘાયલ થતાં સારવાર અર્થે વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કારમાં સવાર ચારેવ યુવાનો અંકલેશ્વરની ઓમ એન. ફાર્મા કંપનીના કર્મચારી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ચારેય મિત્રો સાપુતારા ફરવા નીકળ્યા હતા. વાંસદા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!