The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં આગ

અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં ભયાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ છે. આગની જાણ અંકલેશ્વરના ફાયર ફાયટરોને કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.

અંકલેશ્વરમાં અનેક આગ લાગવાના બનાવો બનતા રહે છે. ત્યારે આજે સવારે વધુ એક આગ લાગવાનો બનાવ બન્યો છે. અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે કંપનીમાં કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે, આગના ધૂમાડા દૂર દૂર સુધી નજરે પડતા હતાં. આગની જાણ અંકલેશ્વર ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ લાશ્કરો સાથે સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. આ આગા એટલી વોકરાળ હતી કએ લગભગ ૭ જેટલા ફાયર ફાઈટરની મદદ વડે આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધરાયા હતા.આ આગની જાણ થતાં જ ફેકટરી અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં. જોકે કંપની બંધ હોય માત્ર તેમાં અમુક જ કર્મી હોય કોઇ જાન હાની ન થતા હાશકારો અનુભવાયો હતો,પરંતુ હજુ આ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!