ગત રોજ પણ પીરામણ પાસેથી પસાર થતી આમલખાડીમાં ગુલાબી કલરના પ્રદુષિત અને દુર્ગંધવાળા વેહતા પાણી છોડવામાં આવતા ગ્રામજનો સહિત પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાઈ ગયો હતો.
જેથી પીરામણના ગ્રામજનો અને સામાજિક સંસ્થા દ્વારા પ્રદુષિત પાણી ક્યાંથી આવે છે એ બાબતની તપાસ કરાઈ હતી. તપાસના અંતે માલુમ પડ્યું હતું કે, નોબલ માર્કેટ તરફથી આ ગુલાબી અને પ્રદુષિત પાણી આવી રહ્યું હતું. ગ્રામજનોએ આવી ગેરકાયદેસર રીતે પ્રદુષિત વેસ્ટને વેચનાર ઓદ્યોગિક એકમો તેમજ ગેરકાયદેસર રીતે ખરીદનાર, સંગ્રહ કરનાર અને નિકાલ કરનાર તત્વો સામે સખ્ત કાર્યવાહી કરવાની માગ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરાઈ છે.