
ગુજરાત વિધાન સભા ચુંટણીમાં ભરૂચ વિધાન સભા મત વિસ્તારમાં કાર્યકર અને ઉમેદવારોના સમર્થનમાં ખાસ મધ્ય પ્રદેશ થી ભરૂચ પધારેલા સહકાર અને લોક સેવા પ્રબંધક વિભાગના કેબીનેટ મંત્રી ડો. અરવિંદસિંહ ભદૌરીયાએ રાજપુત છાત્રાલય ખાતે ન્યુઝલાઇન.ડીજીટલ સાથેની એક મુલાકત દરમિયાન ગુજરાતમાં બહુમતીથી ભાજપા વિજયી બનશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
તેમણે ગુજરાત વિધાનસભામાં ભરૂચ,વાગરા,જંબુસર,અંકલેશ્વર,ઝ્ઘડીયા ક્ષેત્રમાં ભાજપા તરફથી ઉમેદવારી કરતા ઉમેદવારો સાથે કાર્યકરો અને પુરી ભાજપની ટીમની સરાહનાકરી તેમના ઉત્સાહને જોતા ભારે બહુમતિ થી ભાજપા જ જીતશેનો આશાવાદ વ્યક્ત કરી આ જીત પાર્ટીના કાર્યકરો તેમજ જનતાની અને વિકાસની હશેનું કહ્યું હતું.