અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક દિવસની હોય છે. પરંતુ તેની તૈયારીઓ એક મહિના પહેલા શરૂ કરી ગોલ્ડન રંગના ખાદી સિલ્કના કાપડ પર રેશમ વર્ક, ટીક્કી વર્ક તેમજ મોરની ડિઝાઇન કરી રજવાડી વાઘા તૈયાર કરાયા છે.
એકમના દિવસે સોનાવેશ દરમિયાન પીળા રંગના વાઘા જગતનો નાથ ધારણ કરશે. વાઘા ઉપરાતં સુભદ્રાજી માટેનો શણગાર પણ તૈયાર કરી દેવાયો છે. અમદાવાદના શાહપુરમાં રહેતા સુનિલભાઇ છેલ્લા 19 વર્ષથી ભગવાનના વાઘા તૈયાર કરે છે.
ગોલ્ડન રંગના ખાદી સિલ્કના કાપડ પર રેશમ વર્ક, ટીક્કી વર્ક તેમજ મોરની ડિઝાઇન કરી રજવાડી વાઘા તૈયાર કરાયા છે. એકમના દિવસે સોનાવેશ દરમિયાન પીળા રંગના વાઘા જગતનો નાથ ધારણ કરશે. વાઘા ઉપરાતં સુભદ્રાજી માટેનો શણગાર પણ તૈયાર કરી દેવાયો છે.
અમદાવાદના શાહપુરમાં રહેતા સુનિલભાઇ છેલ્લા 19 વર્ષથી ભગવાનના વાઘા તૈયાર કરે છે.ભગવાન માટે નવો રથ બનાવાશે ભગવાન જગન્નાથ આવતા વર્ષે નવા રથમાં બિરાજમાન થઇ નગરચર્યાએ નીકળશે.
146મી રથયાત્રા માટે નવા રથ માટેનું લાકડું વલસાડના વઘઇથી ખરીદવામાં આવ્યું છે. સાગના લાકડાને અમદાવાદ લાવી દેવામાં આવ્યું છે. નવા રથ માટેની કામગીરી દિવાળી બાદ શરૂ કરવામાં આવશે. નવા રથ તૈયાર કરવામાં 5થી 7 મહિનાનો સમય લાગે છે.