અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસી માં આવેલ મહનસરીયા ટાયર કંપનીમાં બોઇલર નો સામાન ની ચોરી થઇ જવા પામી છે. તસ્કરો બોઇલર માં વપરાતા પાંચ લાખ ના સામાન ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી મહનસરીયા ટાયર કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી.જેમાં તસ્કરો કંપનીના ઓપન ગોડાઉન માં પ્રવેશ કર્યો હતો અને ગોડાઉન માંથી બોઇલર માં વાપરવામાં આવતા સામાન ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આ ચોરી અંગે ની જાણ કંપની ના અધિકારી ને થતા તેઓ એ અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યા હતા અંદાજે રૂપિયા 5 લાખ ના બોઇલર ના સામાન ની ચોરી અંગે કંપનીના ધરમપાલસિંહ મહેલાએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here