The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News કોમી એકતાના દર્શન કરાવતી 52 ગજની મોટી-લાંબી મઝાર શરિફ રાજપીપળામાં

કોમી એકતાના દર્શન કરાવતી 52 ગજની મોટી-લાંબી મઝાર શરિફ રાજપીપળામાં

0
કોમી એકતાના દર્શન કરાવતી 52 ગજની મોટી-લાંબી મઝાર શરિફ રાજપીપળામાં

દરેક કોમના લોકો જ્યાં માથું ટેકવે છે, કોમી એકતાના પ્રતિક સમી એવી 638 વર્ષ જુની નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર સ્થિત મઝાર શરિફ નિઝામશાહ નાદોડીના ઉર્ષ મુબારકની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નિઝામશાહ નાદોડીની મઝાર શરિફની સાથે તેમના સાથી ખિદમત અલી બાબાની પણ મઝાર આવેલી છે. જે 52 ગજની છે, અને તે ગુજરાતની સૌથી મોટી અને લાંબી મઝાર શરિફ હોવાનું મનાય છે. જ્યાં 3 દિવસ તેમનું ઉર્ષની સાથે કવ્વાલીનો મુકાબલો પણ કરવામાં આવે છે. જેમાં કેટલાય જીલ્લાના હિંદુ-મુસ્લિમ બિરાદરો આવે છે.ત્યારે નિઝામશાહ નાદોડીના ઉર્ષ મુબારકની શાનદાર ઉજવણી નિમિત્તે કવ્વાલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ મઝાર શરિફનો ઇતિહાસ ઘણો જૂનો છે. જેમાં આ એક એરંબા વન હતું, અને આજ જગ્યાએ નિઝામશાહ દાદા અને તેમનો ચેલો રહેતા હતા. આ દરમ્યાન આકાશમાં એક રાક્ષસને ઉડતા જોતાં જ નિઝામશાહ દાદાએ ચેલાને કહ્યું કે, ઉસકો પકડલે. પરંતુ ચેલો હાઈટમાં નાનો હતો. જોકે, ગુરૂએ કહ્યું એટલે ખિદમત અલી બાબાએ રાક્ષસને પકડવા હાથ ઊંચો કર્યો તો આપોઆપ ખિદમત અલી બાબાની હાઈટ લાંબી થઈ ગઈ અને રાક્ષસને મારી નાંખ્યો હતો. આ ઘટનાને આજે 638 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારથી દાદાનું ઉર્ષ મનાવવામાં આવે છે સાથે આ ઉર્ષમાં લોકમેળો પણ ભરાય છે અને આ મેળામાં અને ઉર્ષમાં કોમી એકતાના દર્શન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!