The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News અંકલેશ્વરની શુભમ રેસીડેન્સીમાં બીમારીથી કંટાળેલા યુવાને કર્યો આપઘાત

અંકલેશ્વરની શુભમ રેસીડેન્સીમાં બીમારીથી કંટાળેલા યુવાને કર્યો આપઘાત

0
અંકલેશ્વરની શુભમ રેસીડેન્સીમાં બીમારીથી કંટાળેલા યુવાને કર્યો આપઘાત

અંકલેશ્વરની શુભમ રેસીડેન્સી માં બીમારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ જીવન દોરી ટુંકાવી લીધી હતી. મગજ ની બીમારી થી કંટાળેલા 36 વર્ષીય રાજુ સુથાર આપઘાત કર્યો હતો. માનસિક રીતે પડી ભાગેલા યુવાને બેડરૂમ જઇ આપઘાત કરી લીધો હતો.

અંકલેશ્વર તાલુકા સેવા સદન ની સામે આવેલ શુભમ રેસીડેન્સી માં મકાન નંબર E-103 માં રહેતા 36 વર્ષીય રાજુભાઈ દેવકિશન સુથાર મગજ ની બીમારી થી પીડાય રહ્યા હતા અને કામ ની ચિંતા ના કારણે તેઓ માનસિક સ્થિતિ બગડી હતી દરમિયાન ગત રાત્રી તેઓ પરિવાર સાથે મકાન માં મુખ્ય રૂમ માં સુતા હતા.

દરમિયાન રાત્રી ના 2 વાગ્યા બાદ પત્ની અને બાળકો ગાઢ નિદ્રા માં હતા તે દરમિયાન બેડરૂમ ના તેવો ગયા હતા જ્યાં પંખા ના હુક માં ફંડો બનાવી આપઘાત કરી લીધો હતો. સવારે તેમની પત્ની પથારી માં પતિ ને ના જોતા શોધવા નીકળતા બેડરૂમ નો દરવાજો ખોળતાંજ પતિ રાજુભાઈ સુથાર ને આપઘાત કરેલી હાલતમાં લટકતી જોવા મળ્યા હતા.

તેઓ પાડોશી ને જાણ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા અને આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને નીચે ઉતરી પી.એમ અર્થે ખસેડાયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પેનલ પી.એમ. કરાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!