The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

અંકલેશ્વરના અંદાડામાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી અનાજ સગેવગે થતુ હોવાની વિગતો અંકલેશ્વરના પ્રાંત અધિકારીને થતા તેઓએ પુરવઠા વિભાગની ટીમ સાથે રેડ કરી હતી. જેમાં સરકારી અનાજના જથ્થામાં ક્ષતિ જણાય હતી. સરકારી અનાજની ફક્ત 2 ગુણ જ બચી હતી બાકી બધુ જ સરકારી અનાજ દુકાનદારે બારોબાર સગેવગે કરી વેચી માર્યું હતું.

અંકલેશ્વરના અંદાડામાં આવેલી સરકારી અનાજની દુકાનના સંચાલક જંકેશ મોદી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું ગરીબોને મળતા મફત સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે વેચી કાઢતો હોવાની શક્યતા સેવાઈ રહી હતી. જેથી પ્રાંત અધિકારી સહિત મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરતા જંકેશ મોદીને ત્યાં મફત સરકારી અનાજના જથ્થામાં ક્ષતિ જણાય હતી. જોકે, રેડની જાણ દુકાનદાર જંકેશ મોદીને અગાઉથી થઈ જતા તે ભૂગર્ભમાં ભરાઈ ગયો હતો.

પ્રાંત અધિકારી સહિતનો કાફલો લગભગ 4 કલાક તેની દુકાને રાહ જોઈ બેઠા હતા. ત્યારબાદ દુકાનદાર જંકેશ મોદી આવતા તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. સરકારી અનાજની ફક્ત 2 ગુણ જ બચી હતી બાકી બધુ જ સરકારી અનાજ દુકાનદારે બારોબાર સગેવગે કરી વેચી માર્યું હતું. જેથી કસુરવાર દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!