
ભરૂચ ના ગુરુદ્વારા કસક ઓવારા પાસે નદી ના પાણી માં એક અજાણ્યા આશરે ૧૩ થી૧૪ વર્ષના તરૂણનો મૃતદેહ પાણી માં તરતી હાલત માં સ્થાનિકોએ જોતા સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી.
જેથી ધર્મેશ સોલંકી અને તેની ટીમે સ્થળ પર પહોંચી નદીના પાણી માંથી મૃતદેહને બહાર કાઢયો હતો. જે બાદ ધર્મેશ સોલંકી એ આ ઘટનાની જાણ પોલીસને કરતા,પોલીસ ટીમ પણ દોડી આવી હતી.પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી મૃતકના વાલીવારસો તેમજ યુવક કોણ છે ની તપાસ હાથ ધરી છે.હાલમાં ચાલી રહેલી અસહ્ય ગરમીમાં ઠંડક મેળવવા માટે અનેક લોકો નદી-નાળામાં નાહવા માટે પડતા હોય છે. જેમાં અમુક વખતે ઊંડા પાણીનો ખ્યાલ નહિ આવતા પાણીમાં ડૂબી જવના પણ બનાવો નોંધાતાં હોય છે.ત્યારે આવો જ એક બનાવ ભરૂચના કસક ગુરુદ્વારાના નર્મદા નદીના ઓવારા પાસે બન્યો હતો.જેમાં ગતરોજ એક અંદાજીત 13 થી 14 વર્ષીય સગીર નર્મદા નદીમાં નહાવા પાડયો હતો.જે અચાનક ઊંડા પાણીમાં ગરક થઈ જતા ડૂબી ગયો હતો.