દાતાઓના શહેર સુરતમાંથી એક કરૂણ ઘટનાની જાણકારી સામે આવી રહી છે. જેમાં એક પિતાએ પુત્રીનાં લગ્ન પહેલા ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. વ્હાલસોઈપુત્રીના લગ્નના 15 દિવસ પહેલા જ પિતાએ અચાનક મોતને વ્હાલુ કરતા લગ્નના અરમાનો સજતી કન્યા સહિત સમગ્ર પરિવાર હીબકે ચઢ્યો હતો.

અત્રે ઉલ્લેખનીયા છે કે સુરતમાં છેલ્લા થોડા સમયથી સુસાઈડની ઘટનાઓમાં ઘણો વધારો જોવાયો છે. જેમાં હજુ થોડા દિવસો પહેલા જ એક જ પરિવારનાં સાત સભ્યોએ આર્થિક સંકડામણમાં સામુહિક આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો હતો. આ ઘટનાની શાહી હજુ સૂકાઇ નથી ત્યાં આજે વધુ એક મજબુર પિતાએ દીકરીનાં લગ્ન માટે પૈસાની સગવડ ન કરી શકતા જીવન લીલા સંકેલી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here