The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ફ્રાન્સના સાધુ સાથે ઉત્તરાખંડમાં અંક્લેશ્વરના ડ્રાઇવરે કરી ઠગાઇ

ફ્રાન્સથી ભારતદર્શન માટે આવ્યાં બાદ ગંગા કિનારે સાધુસંતો સાથે મુલાકાત બાદ ભારતિય સંસ્કૃતિથી અભિભૂત થઇ ગયેલાં જયરામદાજીએ નિકોરા ગામે શ્રી માતા નિલાયમ આશ્રમમાં સ્થાયી થયાં છે. ભરૂચના નિકોરા ખાતે આવેલાં શ્રી માતા નિલાયમ આશ્રમના સાધુ જયરામદાસ ગત મે મહિનામાં ઋષિકેશ દર્શનાર્થે જવાના હોઇ તેમણે અંક્લેશ્વરના હેનિલ મડગુરી નામના શખ્સને ડ્રાઇવર તરીકે લઇ ગયાં હતાં.

ઉત્તરાખંડ ખાતે પહોંચ્યાં બાદ તેમના ડ્રાઇવર હેનિલે રાત્રીના સમયે કોઇ રીતે તેમનો મોબાઇલ ચોરી કરી તનાથી કુલ 60 હજાર રૂપિયા ટ્રાન્સ્ફર કરી લઇ ઠગાઇ કરી ત્યાંથી રફૂચક્કર થઇ ગયો હતો. ઘટનાને પગલે તેમણે ઋષિકેશ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. છેલ્લાં ત્રણેક મહિનાથી ફરિયાદ કરી હોવા છતાં ઋષિકેશ પોલીસ દ્વારા હજી સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. જેના પગલે સ્વામી જયરામદાસજીએ ઉત્તરાખંડ સીએમને પત્ર લખી ફરિયાદના અનુસંધાનમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથેની ફરિયાદ કરી છે.

આ ઉપરાંત આ મામલામાં ભરૂચ પોલીસ દ્વારા પણ કોઇ મદદ મળે તેવા આશયથી ડીએસપીને પણ લેખીતમાં આવેદન આપવામાં આવ્યું છે. તમામ પુરાવા અમે આપ્યાં છે. આ અંગે સાધુ શ્રી જયરામદાસજી અમારે ઋષિકેશ જવાનું હોઇ ડ્રાઇવરની શોધમાં હતાં. દરમિયાનમાં અંક્લેશ્વરના હેનિલ મડગુરીના સંપર્કમાં આવ્યાં હતાં. ઋષિકેશ પહોચ્યાં બાદ ત્યાંના આશ્રમમાં રોકાયાં હતાં. તે વેળાં રાત્રીના સમયે ડ્રાઇવરે મોબાઇલ ચોરી કર્યો હતો. અને રૂપિયા ટ્રાન્સફર કરી લીધાં હતાં. જે અંગેના પુરાવા પણ તેમને પોલીસને આપ્યાં છે. છતાં કાર્યવાહી થતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!