The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News તવરાના મંદિરોના જવારાઓને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ કરાયું નર્મદાનિર માં વિસર્જન

તવરાના મંદિરોના જવારાઓને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ કરાયું નર્મદાનિર માં વિસર્જન

0
તવરાના મંદિરોના જવારાઓને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ કરાયું નર્મદાનિર માં વિસર્જન

ભરૂચના તવરા ગામના તમામ મંદિરોમાં સ્થપાયેલા જવારાઓને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ જવારા નું માં નમદા ના નિર માં વિસર્જન કરવામાં આવે છે. ગામના મંદિરો માં સ્થપાયેલા 25 થી  વધુ જવરાનુ આજે પાંચ દેવી મંદિર એકત્ર થઈ ત્યાંયર બાદ માં નર્મદા નદી ના નિર માં વિસર્જન કરવામાં આવ્યું હતું.

જુના તવરા ગામના તમામ મંદિરોમાં સ્થપાયેલા જવાનોને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ આહીર સમાજ દ્વારા જવારા ની ભવ્ય વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી. અને ત્યારબાદ જવારાઓનું વિસર્જન પવિત્ર નર્મદા નદીમાં કરવામાં આવ્યું હતું.

આહિર સમાજ દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે. આરાધ્ય કુળદેવી માતાજીના જવારા આસો નવરાત્રી ના  પ્રથમ નોરતે વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવે છે. જેનું નવ દિવસ સુધી દરરોજ સવાર સાંજ પૂજન અર્ચન તથા આરતી કર્યા બાદ રાત્રે માતાજીના પત આંગણ મા ગરબા નું આયોજન કરવામાં આવતું હોય છે દશેરાના દિવસે માતાજીના જવારા ધામધૂમથી ઢોલ નગારા ના તાલે નર્મદા નદીમાં જવારા નું વિસર્જન કરવામાં આવે છે.જે યાત્રામાં આખું ગામ જોડાતું હોય છે.

ગામ ના તમામ મંદિરો ના  જવારાઓને પાંચ દેવી મંદિરે લાવ્યા બાદ નર્મદા નદીમાં જવારા નું  વિસર્જન કરવામાં આવતું હોય છે. આ ઉત્સવ આહીર સમાજ દ્વારા પેઢીઓથી ઉજવાય છે.પેઢીઓથી ઉજવાતા આ ઉત્સવમાં જિલ્લાભરમાંથી માઈ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જુના તવરા  ગામના લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!