The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News નવરાત્રીના અંતિમ ચરણમાં આમોદમાં ગરબાના તાલે યુવાધન હિલ્લોળે ચઢ્યું

નવરાત્રીના અંતિમ ચરણમાં આમોદમાં ગરબાના તાલે યુવાધન હિલ્લોળે ચઢ્યું

0
નવરાત્રીના અંતિમ ચરણમાં આમોદમાં ગરબાના તાલે યુવાધન હિલ્લોળે ચઢ્યું

ગુજરાતમાં સૌથી લાંબો મહોત્સવ એટલે નવરાત્રી મહોત્સવ જેમાં માઇ ભક્તો માતાજીની ગરબા રમી આરાધના કરતાં હોય છે.આમોદમાં વેરાઇમાતા મંદિર ,કાછીયા વાડ, કાલિકામાતા મંદિર જેવા વિસ્તારોમાં ગરબાનું ભવ્ય આયોજન કરાયું હતું.

આમોદમાં વેરાઈમાતા મંદિર તરફથી ગરબા રમતા દરેક ખેલૈયાઓને લ્હાણી આપવામાં આવી હતી.શારદીય નવરાત્રી તેના અંતિમ ચરણમાં હોય આઠમના દિવસે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતાં.ગરબાના એક એક તાલ ઉપર થનગનાટ અનુભવતા યુવાધન હિલ્લોળે ચઢ્યું હતું.ગરબાના ગીતની કડીઓ લલકારાતાં પગનો ઠેકડો લઈ યુવાન,યુવતીઓ, મહિલાઓએ ગરબાની મોઝ માણી હતી.મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવતાં ખેલૈયાઓમાં ગરબા રમવાનો અનેરો ઉત્સાહ- ઉમંગ જોવા મળ્યો હતો.

  • રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન, આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!