
ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાન પુરુષોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.દેશની આઝાદીમાં પોતાનો સિંહકાળો આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરાય રહી છે.આ ઉપરાંત આજે દેશના પુર્વ વડાપ્રધાન સ્વ.લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે.ભરૂચ જીલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે બંનેવ મહાપુરૂષોની તસવીરને સુતરા આંટી અને કુલ હાર અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સહિત કોંગી અગ્રણીઓ સંદીપ માંગરોલા,મગન માસ્ટર,સમસાદઅલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા, જ્યોતિ તડવી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહી પુષ્પાંજલી અર્પણ કરી હતી.