ભરૂચના કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ

0
83

ભરૂચ શહેરના વોર્ડ નંબર-9માં આવેલ કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં પીવાના દુષિત પાણીને પગલે સ્થાનિકો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત હેઠળ જીવી રહ્યા છે.

ભરૂચ શહેરના વોર્ડ નંબર-9માં આવેલ કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં પાલિકાના વોટર વર્કસ કમિટી દ્વારા પીવાના પાણી પુરવઠો આપવામાં આવે છે. ત્યારે કેટલાક સમયથી આ વિસ્તારમાં દુષિત પાણી સાથે સાપના કણા અને જીવાતો આવતી હોવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે.

આજે પણ પીવાનું દુષિત પાણી આવતું હોવાથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવી રહ્યા છે. દુષિત પાણીને લઇ સ્થાનિકોએ વેચાતું પાણી લાવી પીવા મજબુર બન્યા છે. ત્યારે સ્થાનિકોએ આજરોજ પાલિકાના વોટર વર્કસ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેઓએ સ્થાનિકોની વેદના સાંભળી તરત વોટર વર્કસના એન્જીનીયરને સુચના આપી તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ કરાશેની ખાતરી પણ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here