The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News દેડીયાપાડા આદિવાસી સમાજ દ્વારા ખોટા જાતિ પ્રમાણ પત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ!

દેડીયાપાડા આદિવાસી સમાજ દ્વારા ખોટા જાતિ પ્રમાણ પત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ!

0
દેડીયાપાડા આદિવાસી સમાજ દ્વારા ખોટા જાતિ પ્રમાણ પત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ!

દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે આદિવાસી સમાજ દ્વારા અનુસૂચિત જનજાતિનાં ખોટાં જાતિ પ્રમાણપત્ર લેનારાઓ અને આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એ અનુસંધાને પ્રાંત અધિકારીશ્રી મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશી ને આદિવાસી સમાજના લોકો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.

આદિવાસી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ભારતનાં સંવિધાન મુજબ ગુજરાત રાજ્યના સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ઘોર અન્યાય થઇ રહ્યો છે. એ અંગે આદિવાસી સમાજ ની જે માંગણીઓ છે કે રબારી, ભરવાડ,અને ચારણ જાતિ ને બક્ષીપંચમા સમાવેશ. કરો. તમામ ક્ષેત્રે આદિવાસી ના ખોટા જાતિ પ્રમાણપત્રો રદ કરી કાયદેસર ની કાર્યવાહી કરો. ગુજરાત સરકાર ના આદિજાતિ વિકાસ વિભાગ નો તા.૦૪-૦૮-૨૦૨૨ નો ગેર બંધારણીય પરિપત્ર તાત્કાલિક રદ કરો. આ પાંચ માંગણીઓ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આદિવાસી સમાજને ખરા અર્થમાં ન્યાય આપે તેવી માંગ કરવામાં  આવી હતી.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!