
આમોદ તાલુકાના માતર ગામે લોકોને બચકાં ભરી આતંક મચાવનાર કપિરાજને આખરે વનવિભાગે પાંજરામાં પૂરતા લોકોએ હાશકારો લીધો હતો.
આમોદ તાલુકાના માતર ગામે કપિરાજે પાંચ થી વધુ લોકોને બચકાં ભરી આતંક મચાવ્યો હતો.અને ગામલોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કરતાં પ્રાથમિક આયોગ્ય કેન્દ્ર માતર ખાતે લોકોએ સારવાર લેવાની ફરજ પડી હતી. જેથી ગામલોકો ભયભીત બન્યા હતાં.ત્યારે આમોદ વનવિભાગે બચકાં ભરતા કપિરાજને કેદ કરવા કવાયત હાથ ધરી હતી.જેમાં આતંક મચાવનાર વાંદરો પાંજરે પુરાતા લોકોએ હાશકારો લીધો હતો.
- રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ